ગ્રેનાઈટના એક જ પત્થરમાંથી બનેલી ગણેશજીની સૌથી મોટી મૂર્તિ 

2019-09-03 842

ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે દક્ષિણ ભારતમાં પણ સુંદર અને અદભૂત ગણપતિ મંદિર બનેલાં છે જેમાં તમિલનાડુના કોઈમ્બતુરથી 4 કિમી દૂર પુલિયાકુલમના શ્રી મુંથી વિનાયક ગણપતિ છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ગ્રેનાઈટના એક જ પત્થર ઉપર કોતરવામાં આવી છે લગભગ 140 ક્વિંટલ વજન ધરાવતી આ મૂર્તિ સેકન્ડો કલાકારોએ 6 વર્ષની અથાગ મહેનત પછી કોતરી હતી એશિયામાં આ એકમાત્ર મૂર્તિ છે જે 14 હજાર કિલો અર્થાત્ 14 ટન વજનની છે અને આખી મૂર્તિ માત્ર એક જ પત્થરમાંથી બનાવવામાં આવી છે

લગભગ 20 ફીટ ઊંચી અને 11 ફીટ પહોળી આ મૂર્તિ ગણપતિના આરોગ્ય પ્રદાન કરનાર સ્વરૂપને દર્શાવે છે આ મૂર્તિના એક હાથમાં અમૃત કળશ છે આ મૂર્તિના દર્શન કરવા માટે દૂર-દૂરથી અનેક ભક્તો અહીં આવે છે અહીં કાલસર્પ દોષ અને બીજી બીમારીઓથી મુક્તિ માટે ખાસ પૂજા કરવામાં આવે છે આ મંદિર 1982માં બનવામાં શરૂ થયું હતું અનેક કલાકારોને તમિલનાડુના એક-બીજા ભાગમાંથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પત્થરોની શીલા પર ગણેશજીની આકૃતિ કોતરવાનું શરૂ કરેલું 6 વર્ષની અથાક મહેનત પછી ગણેશ મૂર્તિને સંપૂર્ણ આકાર પ્રાપ્ત થયો હતો આ મૂર્તિ કમળના ફૂલ પર વિરાજિત કરવામાં આવી છેજેની કમરમાં કમરબંદ તરીકે વાસુકી નાગ વિરાજિત છે

Free Traffic Exchange

Videos similaires